મોરબીના પીપળી ગામે વીજ શોક લાગતા ટ્રાન્સપોર્ટરનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં મારુતિ ચેમ્બર નજીક પોતાની ઓફિસ નજીક ગાડીની સફાઈ કરી રહેલા ટ્રાન્સપોર્ટરનું વીજ શોક લાગતા મૃત્યુ નિપજતા પરિજનોમાં દિવાળીના સપરમાં દિવસોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા નિલેશભાઈ અંબારામભાઈ સવસાણી ઉ.35 ગત તા.9ના રોજ પીપળી નજીક આવેલ એ.કે.કન્ટ્રક્શનની ઓફીસ બહાર પોતાની ગાડીની સાફ સફાઈ કરતા હતા તે વેળાએ વીજ શોક લાગતા મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપર તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text