તા.20એ મોરબીની પ્રભુકૃપા રેસિડેન્સીમાં કાન-ગોપી રાસમંડળનું આયોજન

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરના પીપળી રોડ પર આવેલી પ્રભુકૃપા રેસિડેન્સીમાં આગામી તારીખ 20 ઓક્ટોબર ને શુક્રવારના રોજ રાધે-શ્યામ કાન-ગોપી રાસ મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. નવદુર્ગા ગરબી મંડળ, પ્રભુકૃપા રેસિડેન્સી દ્વારા 20 ઓક્ટોબર ને શુક્રવારે રાત્રે 9-30 કલાકે પ્રભુકૃપા રેસિડેન્સીમાં ગુજરાતની ભવ્ય કાન-ગોપી રાસ મંડળનું આયોજન કરાયું છે. તો આ કાન-ગોપી રાસ મંડળ નિહાળવા સર્વે ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.

- text