મોરબીમાં મયુરનગરી કા રાજાને 1111 દીવડાની મહાઆરતી કરવામાં આવી 

- text


મોરબી : મોરબીના લખધીરવાસ ચોકમાં આવેલા મયુરનગરી કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં 1111 દીવડાની ભવ્ય મહાઆરતી ઉતારી ગણપતિ બાપાના ગુણગાન ગાવામાં આવ્યા હતા.

- text

આ સાથે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વફલક પર ઈન્ડિયાના સ્થાને ભારત શબ્દ પ્રયોજવા પર ભાર મુક્યો છે ત્યારે 1111 દીવડાઓની સાથો સાથ “ભારત” શબ્દની મનમોહક આકૃતિ પણ કંડારવામાં આવી હતી. આ રીતે ગણપતિ મહોત્સવમાં ધર્મની સાથે દેશભક્તિનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો.

- text