મોરબીના બાલાજી ગણપતિ મહોત્સવમાં બુધવારે બ્લડ ડોનેશન અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન 

- text


મોરબી : લાયન્સ ક્લબ મોરબી પરિવાર અને બાલાજી યુવા ગ્રુપ દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર ને બુધવારના રોજ બાલાજી ગણપતિ મહોત્સવ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ગણપતિ મહોત્સવ દરમિયાન બ્લડ ડોનેશન થકી ગણપતિ બાપાની ભક્તિ કરવાના હેતુ સાથે મોરબીના રવાપર-શનાળા ક્રોસ રોડ, મહાવીર સોસાયટીના બાલાજી ગણપતિ મહોત્સવ સ્થળે 27 સપ્ટેમ્બર ને બુધવારે રાત્રે 8 થી 11 વાગ્યા દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાશે. જેમાં ડો. જયેશ પટેલ (દિશા હોસ્પિટલ) અને ડો. પ્રેયસ પંડ્યા (શિવમ હોસ્પિટલ) સેવા આપશે. સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી યોજાનાર આ કેમ્પમાં લોકોને રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે મો.નં. 83482 12345 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text