મોરબીની આઇકોન રેસિડેન્સીમાં ઈસરોની થીમ પર ગણપતિ મહોત્સવની ઉજવણી 

- text


મોરબી : મોરબીમાં હાલ ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના રવાપર ગામ સ્થિત એસપી રોડ પર આવેલી આઇકોન રેસિડેન્સીમાં ઈસરોની થીમ પર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે.

આઇકોન રેસીડેન્સીમાં ગણપતિ બાપાનું રહીશો દ્વારા સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે ઈસરોની થીમ ઉપર સુશોભન કરવામાં આવ્યું છે. આ અનોખી થીમ અને ગણપતિ મહારાજના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને દરરોજ ગણપતિ મહારાજની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી રહી છે અને ભક્તોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.

- text

- text