- text
મોરબી : હાલ ચારેબાજુ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સના પાંચમા દિવસે વૃધ્ધાશ્રમના વડીલોએ આરતીનો લાભ લીધો હતો. તેમજ ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા વડીલોને ભગવદ ગીતા ધાર્મિક પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. વૃધ્ધાશ્રમના વડીલો પણ ગણપતિની આરતી કરી ખુબ જ આનંદિત થયા હતા અને મહોત્સવ સમિતિ દ્વારા વડીલો માટે સુંદર વ્યવસ્થા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
- text
- text