- text
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું
હળવદ : હળવદમાં આજે યુથ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને બેરોજગાર દિવસ ગણી ઉજવણી કરવામાં આવી હતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સર્કલ ખાતે બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી વીરોધ પ્રદર્શન કરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા.
રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ દ્વારા 17 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય બેરોજગાર દિવસ ગણિત હેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે.આજે હળવદમાં યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સર્કલ ખાતે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી ધરણા યોજી ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
- text
આતકે કોંગ્રેસ અગ્રણી પપ્પુભાઈ ઠાકોર, હળવદ-ધાંગધ્રા યુથ કોંગ્રેસના પ્રમુખ ગોપાલભાઈ દોરાલા, વિપક્ષ નેતા મહિપાલસિંહ રાણા, વાસુદેવભાઈ પટેલ, શૈલેષભાઈ દવે, દિનેશભાઈ મકવાણા, મેહુલભાઈ મજેઠીયા, જટુભા ઝાલા શહીત કોંગ્રેસના આગેવાનોને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
- text