મોરબીના પરવીનબેનને સુરેન્દ્રનગરના સાસરિયાઓનો ત્રાસ 

- text


ઘરકામ બાબતે પતિ સહિતના સાસરિયા મેણાંટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ સાથે મારકૂટ કરતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ 

મોરબી : મોરબીના પરવીનબેન નામના પરિણીતાને સુરેન્દ્રનગરના સાસરિયા ઘરકામ બાબતે છેલ્લા પાંચેક વર્ષથી મેણાંટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ સાથે મારકૂટ કરતા હોય પરિણીતાના પરિવારજનોએ પહેલા સમાજ રાહે સમાધાનના પ્રયાસો કરવા છતાં લગ્નજીવન ન સુધરતાં અંતે મોરબીના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર -21માં માવતરના ઘેર રહેતા પરવીનબેન આમદભાઇ ગાલબના પાંચેક વર્ષ પૂર્વે ઘાંચીવાડ ટાવર રોડ, ધાણી કોઢા શેરી, સુરેન્દ્રનગર ખાતે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા લગ્ન બાદ થોડો સમય પતિ સહિતના સાસરિયાઓ દ્વારા પરવીનબેનને સારી રીતે રાખ્યા બાદ પતિ અકરમભાઇ આરીફભાઇ સુતાર, સાસુ નસીમબેન આરીફભાઇ સુતાર, નણંદ મુસ્કાનબેન આરીફભાઇ સુતાર અને નણંદ સોફીયાબેન રમઝાનભાઇ પરમાર ઘરકામ બાબતે નાની નાની બાબતે મેણાટોણા મારી મારકુટ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય પરવીનબેનના પરિવારજનો દ્વારા લગ્નજીવન ટકાવવા માટે સમાજ રાહે સમાધાનના પ્રયાસો કર્યા હતા છતા પરવીનબેનના સાસરિયાઓ દ્વારા સમાધાન ન કરવામાં આવતા અંતે પરવીનબેન દ્વારા મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ આઇપીસી કલમ 498 (ક), 323 અને 114 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text