મોરબી તાલુકા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત માર્ગદર્શન વર્કશોપ યોજાયો 

- text


મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમા મતદાર નોંધણી ઝુંબેશને લઈને મતદાતા ચેતના અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી જીલ્લા ભાજપ મહામંત્રીની અધ્યક્ષતામા માર્ગદર્શન શિબીર યોજાઈ હતી.

આ શિબિરમા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા તમામ કાર્યકર્તાઓએ ચંદ્રની ધરતી ઉપર દક્ષિણ ધ્રુવ મા ચંદ્રયાન-3 નુ સફળ લેન્ડીંગ કરનાર ભારત દેશની ઐતિહાસિક અને ગૌરવપુર્ણ ધટના ને સ્ટેડીંગ ઓવેશન આપી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ઇસરોના વૈજ્ઞાનિકો ને તાળીના ગળગળાટથી અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા, ઉપપ્રમુખ રવિભાઇ શનાવળા, રમાબેન ગડારા, રવિભાઇ રબારી, પ્રભારી રસિકભાઇ વોરા, જીલ્લા પંચાયત ચેરમેન જયતિંભાઇ, હીરાભાઇ , જેઠાભાઇ પારેઘી, તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઇ ગરચર, બચુભા રાણા,જીલ્લા ભાજપ યુવા પ્રમુખ વિશાલ ધોડાસરા, તરુણ પેથાપરા, જતીન ફુલતરીયા, અનિલ જેઠલોજા તથા મોરબી તાલુકા પંચાયતના તમામ સભ્યોએ હાજરી આપી હતી.

- text

- text