રવાપર રેસીડેન્સીમાં મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ

- text


મોરબી : મોરબીમાં રવાપર રેસીડેન્સી ખાતે આવેલા સર્વેશ્વર સેવા સમિતિ દ્વારા સર્વેશ્વર મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. 27ને મંગળવારે સાંજે 4:30 કલાકે દેહશુદ્ધિ, જલયાત્રા તેમજ સામૈયા યોજાશે. તા. 28ને બુધવારે સાંજે 8:15 કલાકે ગણેશ સ્થાપના, અભિષેક, સર્વદેવ પ્રતિષ્ઠા યજ્ઞ, સ્વતિપૂણ્યાવાંચન, તા. 29ને ગુરૂવારે બપોરના 12 કલાકે ધજા ચડાવવામાં આવશે તેમજ સાંજે 7 કલાકે ઈન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્સવમાં બગથળાના નકલંક મહાદેવ મંદિરના સંત દામજીભગત તેમજ લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સર્વેશ્વર સેવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text