વાંકાનેરની કાશીપર શાળાનો છાત્ર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ

- text


મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની કાશીપર પ્રાથમીક શાળાનો વિદ્યાથી ધોરીયા ૠત્વિક દિનેશભાઈએ જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ 2023/24ની પરીક્ષામાં કોઈ પણ કલાસીસ વગર સમગ્ર મોરબી જિલ્લામાં તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો છે. ૠત્વિકએ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં પણ 120માંથી 107 ગુણ મેળવી વાંકાનેર તાલુકામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી હતી. ત્યારપછી આ સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્ય જીવણભાઈ સાબરીયા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ દિનેશભાઈ ધોરીયા તેમજ શાળાના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા છે.

- text

- text