હળવદના મિયાણી ગામે લગ્નનના છ જ મહિના બાદ સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

- text


મૃતક પરિણીતાના માતાની ફરિયાદના આધારે પતિ, સાસુ અને સસરા સામે ગુનો દાખલ

હળવદ : હળવદના મિયાણી ગામે સાસરિયાના ત્રાસથી પરિણીતાએ લગ્નના છ જ મહિના બાદ ઝેરી દવા પીને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના મિયાણી ગામે રહેતા કાજલબેન કલ્પેશભાઈ સુરેલા નામના પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. બનાવને પગલે મૃતક પરિણીતાના માતા રાજુબેન જાદવજીભાઈ જીંજુવાડીયાએ ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી કાજલબેનના લગ્ન તા.9/12/2022ના રોજ કરેલા હતા. તેમના સાસુ રમીલાબેન સુરેલા, સસરા ત્રિભોવનભાઈ સુરેલા કામકાજ બાબતે મેણા ટોણા આપી તેમના પતિ કલ્પેશભાઈ સુરેલાની કાન ભંભેરણી કરી માનસિક અને શારિરીક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત કલ્પેશભાઈના આડાસબંધ હોય તેણીને મારકૂટ કરી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી મારકૂટ કરી હતી.

- text

પોલીસે આ ફરિયાદને પગલે મૃતક પરિણીતાના પતિ, સાસુ અને સસરા સામે કલમ 306, 498(ક), 323, 504, 114 મુજબ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text