આજે મોરબીમાં બજરંગદળ દ્વારા કોંગ્રેસનું પૂતળા દહન 

- text


કોંગ્રેસ દ્વારા બજરંગ દળની સરખામણી આંતકી સંગઠન કરાતા વિરોધ પ્રદર્શન 

મોરબી: કોંગ્રેસ દ્વારા બજરંગ દળને આતંકવાદી સંગઠન સાથે સરખાવતા મોરબી બજરંગ દળ દ્વારા આજે સાંજે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસી નેતાઓ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને પી.એફ.આઇ જેવા આંતકવાદી સંગઠન સાથે સરખાવ્યા અને તેમના પર બેન લગાવાની વાત કરતા કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં બજરંગ દળ મોરબી જિલ્લા કેન્દ્ર ઉપર પૂતળા દહન વિરોધ પ્રદર્શન અને કર્ણાટકમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરનારાઓનું હોલિકા દહન કરીને વિરોધ પ્રદર્શન કરીને વિરોધ કરવામાં આવશે. આજે 4 મેના રોજ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે સાંજે 5.39 વાગ્યે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તો દરેક કાર્યકરોને ખેસ પહેરીને હાજર રહેવા જણાવાયું છે.

- text

- text