વાંકાનેરમાં ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી

- text


સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી

વાંકાનેર : વિષ્ણુ ભગવાનના અંશ અવતાર ભૂદેવોના આરાધ્યા દેવ ભગવાન પરશુરામ દાદાના પ્રાગટ્ય દિવસની વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં સવારે પરશુરામ ધામ બ્રહ્મસમાજ ખાતે પૂજા અર્ચના હોમાત્મક યજ્ઞ તેમજ ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતુ. સાંજે શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાનું પ્રસ્થાન ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ વ્યાપાર સેલ સદસ્ય શૈલેષભાઈ ઠક્કર , સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી ભરતભાઈ ઓઝા, રજનીભાઇ રાવલ, પૂર્વ નગરપતિ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓએ કરાવ્યું હતું .

- text

શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી ગ્રીન ચોક ખાતે પહોંચી હતી. ત્યારે માજી ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ભગવાન પરશુરામને હાર પહેરાવી શોભાયાત્રાનું સ્વાગત કરેલ. જ્યારે માર્કેટ ચોક ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તથા ભાજપ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરેલ. આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી જીતુભાઈ મહેતા , રાજકોટ ભાજપના હરેશભાઈ જોશી તથા જયંતભાઈ ઠાકર શોભાયાત્રામાં જોડાયા હતા.

- text