- text
વાંકાનેર ઢુંવા ચોકડી નજીક બનેલો અરેરાટી ભર્યો બનાવ
વાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેતા અને ઢુંવા ચોકડીએ ટ્રાન્સપોર્ટ કર્મચારી યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની પંચશીલ સોસાયટીમાં રહેતા અને ઢુંવા ચોકડી નજીક સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટની ઓફીસમાં કામ કરતા જય મનોજભાઇ ખોરજા ઉ.30 નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ઓફિસમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
- text