સિરામિક ફેકટરીમાં ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના માંડલથી શનાળા જવાના રસ્તે આવેલ એકોલ્ડ સિરામિક ફેક્ટરીની શ્રમિકોની કોલોનીમાં ત્રીજા માળેથી નીચે પટકાતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી લખનભાઈ ગેંદાલાલ અહીરવાર ઉ.34 નામના શ્રમિક યુવાનનું ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text