મોરબી-જેતપર-અણિયારી ફોરલેન રોડની કામગીરીનું નિરીક્ષણ કરતા કાંતિલાલ

- text


મોરબી : મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝના હાર્દ સમા મોરબી -જેતપર -અણીયારી રોડને ફોર લાઈન બનાવવાની કામગીરીનું આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કુલ ૨૪.૩ કિમીના આ રસ્તાના ફોર લેન કામગીરી માટે ગત તા.૨૮-૦૯-૨૦૨૨ના રોજ રૂ.૧૪૧ કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. જેતપર અણીયારા વચ્ચે ફોરલેન પ્રોજેક્ટમાં કુલ ૧૭ નાળાનું નિર્માણ કરવામાં આવશે જે પૈકી ૮ નવા નાળા અને ૯ હયાત નાળાને પહોળા કરવાની કામગીરી કરવામાં આવનાર છે. કૂલ ૨૦૮૦ મી. પ્રોટેક્શનવોલની કામગીરી પણ કરવામાં આવશે.

- text

- text