શિષ્યવૃતિ પરીક્ષામાં મોરબીની કેરાળા શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

- text


મોરબી: કેરાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિ પરીક્ષામાં ઉત્તમ ગુણ પ્રાપ્ત કરી ને ઉતીર્ણ થયા છે.

કેરાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રિન્સ અરવિંદભાઈ ચારોલા, શીતલ માવજીભાઈ સોલંકી અને દિપકગર ભૂપતગર ગોસાઈએ આ પરીક્ષામાં પાસ થઈને કેરાળા પ્રાથમિક શાળા તેમજ કેરાળા ગામનું ગૌરવ વધાર્યુ છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર તેમજ સૌ સગા વ્હાલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર વર્ગશિક્ષક અંકિતભાઈ જોષી, વિષ્ણુભાઈ પટેલ તેમજ ભરતભાઈ બોપલિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભાશિષ આપ્યા છે. પ્રિન્સિપાલ કિશોરભાઈ ફેફર અને સિનિયર શિક્ષક મધુબેન સરડવાએ પણ બાળકોને અભિનંદન આપ્યા છે. અરવિંદભાઈ ચારોલા અને નયનાબેન ચારોલાએ બાળકોની આ સફળતાથી પ્રેરિત થઈ આખી શાળાના બાળકોને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી.

- text

- text