ઘૂંટણ કે કમરના દુઃખાવાથી મળશે છુટકારો : મોરબીના આંગણે કાલે મંગળવારથી 6 દિવસના ખાસ કેમ્પનો પ્રારંભ

 

ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા અન્ય કોઈ પણ બીમારી કે કમરની સમસ્યા હોય તેની સચોટ સારવાર
લોકલાગણીને માન આપી ધનવંતરી ભવન ખાતે વૃધ્ધજન સેવા સંસ્થાન દ્વારા સતત બીજી વખત સારવાર કેમ્પનું આયોજન, કેમ્પ 26મી સુધી ચાલશે : ઓપરેશનની સલાહ મળી હોય તેવા દર્દીઓએ કેમ્પની મુલાકાત અવશ્ય લેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘૂંટણ કે કમરના દુઃખાવાથી છુટકારો મેળવવા હવે દૂર જવાની જરૂર નથી.વૃધ્ધજન સેવા સંસ્થાન દ્વારા ઘુંટણ તથા કમરના દુઃખાવાના સારવાર કેમ્પનો મોરબીમાં આવતીકાલે મંગળવારથી પ્રારંભ થશે. તો આ કેમ્પની મુલાકાત લેવાનું ચૂકશો નહી.

મોરબીમાં શનાળા રોડ ઉપર 3-કાયાજી પ્લોટ ખાતે આવેલ ધનવંતરી ભવનમાં વૃધ્ધજન સેવા સંસ્થાન (રજી. ઉદયપુર -રાજસ્થાન) દ્વારા ઘુંટણ/કમરના દુઃખાવાનો સારવાર કેમ્પ આવતીકાલે મંગળવારથી શરૂ થશે. આ કેમ્પ આગામી તા.26મી સુધી ચાલવાનો છે. જેનો સમય સવારે 11 થી બપોરે 2 અને સાંજે 4 થી રાત્રે 7 વાગ્યા સુધીનો છે. જો ઘૂંટણ બદલવાની નોબત આવી ગઈ હોય તો તેવા દર્દીઓએ આ કેમ્પનો અવશ્ય લાભ લેવા જેવો છે. અહીં ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક નિર્મિત Knee 0ff – Loader Brace થી કરવામાં આવશે.

અહીં ઘુંટણની અંદર ગ્રીસ (સાઈનોવિચન ફલુડ) ખતમ થઇ ગયું હોય, આર્થરાઇટીસ (વા)ની બિમારી હોય, ચાલવાની- ફરવાની- દાદરા ચઢવાની તકલીફ હોય, ઘૂંટણ વળી ગયા હોય, સોજો આવી ગયો હોય કે પછી ઘુંટણને લઇને કોઇપણ બીમારી આવી ગઇ હોય તેનો સચોટ ઈલાજ કરાશે.

કોઇપણ ઘુંટણના દર્દીએ ઓપરેશન ન કરાવવું હોય તો તેઓએ એકવાર અવશ્ય કેમ્પની મુલાકાત લેવી. આ ઉપરાંત કમરના દુઃખાવાના દર્દીઓએ પણ ઘરઆંગણે આવેલા આ કેમ્પનો લાભ લેવા જેવો છે. કેમ્પમાં રજીસ્ટ્રેશન ડેમોનો ચાર્જ માત્ર રૂ. 300 છે. બન્ને ઘૂંટણનો ઈલાજ માત્ર રૂ. 17,999માં થશે. તેમયાદીમાં જણાવાયું છે.

વધુ વિગત માટે
ડો.રાજેશ અરોરા
મો.નં. 96105 26105
મો.નં. 70141 17342