મોરબીમાં રવિવારે તોરણીયાનું રામામંડળ યોજાશે

- text


મોરબી : મોરબીના રહેવાસી જાદવજીભાઈ અમરશીભાઈ મોરડીયા દ્વારા તા. ૫ માર્ચને રવિવારે રાત્રીના ૮:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન ભરતનગર-૧ સોસાયટી, પાપાજી ફન વલ્ડૅ સામેના ગ્રાઉન્ડ ખાતે નકલંક નેજાધારી તોરણીયાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો), ભુટો ભરવાડ જેવા કલાકારો ઉપસ્થિત રહેશે. આ રામામંડળમાં મોરબી તેમજ આસપાસના વિસ્તારના લોકોને લાભ લેવા જાદવજીભાઈ મોરડીયા, હેમલતાબેન જાદવજીભાઈ મોરડીયા, પ્રદીપભાઇ જાદવજીભાઈ મોરડીયા, વિણાબેન પ્રદીપભાઇ મોરડીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text