વાંકાનેરના ધમલપર ખાતે રણછોડદાસ બાપુની 37મી પુણ્યતિથિ ઉજવાશે

- text


જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં મારૂતી યજ્ઞ, સંતવાણી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ખાતે રામ ટેકરીએ આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં ગુરુદેવ રણછોડદાસ બાપુની 37મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

- text

આગામી તારીખ 4 માર્ચ ને શનિવારના રોજ જોગજતી ગ્રુપ દ્વારા રણછોડદાસ બાપુની 37મી પુણ્યતિથિ નિમિત્તે સવારે 8 કલાકે મારૂતી યજ્ઞ યોજાશે જેમાં સાંજે 4-30 કલાકે બિડુ હોમવામાં આવશે, સાંજે 6 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 10 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. સંતવાણી કાર્યક્રમમાં દલસુખભાઈ પ્રજાપતિ, જકનભાઈ વેગડ, ભાવેશભાઈ પટેલ, કશ્યપ ઉસ્તાદ, રાહુલ મકવાણા અને ધ્રુવ ઉસ્તાદ ભજનની રમઝટ બોલાવશે. તો આ ધાર્મિક કાર્યક્રમ પધારવા સૌને આમંત્રણ પાઠવાયું છે.

 

- text