મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ફ્રી ડાયાબિટીસ-બીપી નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તા.4 ફ્રેબ્રુઆરીને શનિવારે બપોરે 4થી 6-30 વાગ્યા દરમિયાન કાસમભાઈ સંધી, બાવા અહેમદશાની દરગાહ પાસે, 5/6 કાલિકા પ્લોટ મોરબી ખાતે એક દિવસીય ફ્રી ડાયાબિટીસ અને બીપી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની વિનામૂલ્યે દવા આપવામાં આવશે. તેમજ ડો.હસ્તી આઈ. મહેતા દ્વારા ડાયાબિટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. તેથી આસપાસના દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

- text