માળીયા નજીક વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સ બસ પલ્ટી, 13 ઇજાગ્રસ્ત

- text


વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસને વાધરવા ગામના પાટિયા નજીક અકસ્માત નડ્યો

મોરબી : આજે વહેલી સવારે માળીયા હાઇવે ઉપર વાધરવા ગામના પાટિયા નજીક વડોદરાથી કચ્છ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ પલ્ટી જતા બસમાં મુસાફરી કરી રહેલા 13થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે માળીયા હાઇવે ઉપર 6.30થી 6.45ના અરસામાં વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ વાધરવા ગામના પાટિયા પાસે પલ્ટી મારી જતા બસમાં મુસાફરી કરી રહેલા કુલ 31 મુસાફરો મુસાફરી કરતા હતા જે પૈકી 13થી વધુ મુસાફરોને નાની – મોટી ઇજાઓ પહોચતા સારવાર માટે 108 મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

આ અકસ્માતની ઘટનામાં (1) વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ ઉ.વ. 42 , રહે . ધોળકા
(2) વિનુભાઈ પરમાર (45) રહે . અમદાવાદ
(3) વિજયભાઈ રામચંદ્ર ગુપ્તા (23) અમદાવાદ
(4) ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (24) રહે . આણંદ
(5) સૌરભ સોની (30) રહે. બરોડા, (6) દિપક પરસોત્તમ આણંદદાની (34) રહે.
(7) કલ્પના દિપક આણદાની(34) આદિપુર
(8) રવિભાઈ પટેલ (31) રહે. અંજાર
(9) ઇરસાદભાઈ આલમભાઈ (32) ગાંધીધામ
(10) દિનેશભાઇ કાંતિલાલ (58) કચ્છ
(11) કાનો દિનેશભાઇ (19) અમદાવાદ
(12) દિગ્વિજયભાઈ કાનભાઈ (5) સામીખિયારી અને (13) લીલાબેન રાજેશભાઇ (40) ગાંધીધામ નામના મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જો કે, સદભાગ્યે આ અકસ્માતમા કોઈ જાનહાની થઈ ન હોવાનું સામે આવ્યું છે.

 

- text