કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી કહી પિતા – પુત્ર ઉપર હુમલો

- text


હળવદના ઢવાણા ગામે ત્રણ શખ્સોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી કહી પિતા પુત્ર ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતા હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા કાલિકાકુમાર ઉર્ફે કનકસિંહ જેઠુભા ઝાલા નામના આધેડ પોતાના ઘર પાસે હતા ત્યારે આજ ગામના ભુપતભાઇ ડાયાભાઇ રાઠોડ, રણજીતભાઈ ડાયાભાઇ રાઠોડ અને મહિપતભાઈ ભુપતભાઇ રાઠોડ નામના શખ્સોએ અમારી વાડીમાં માઇનોર કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી કહી ગાળો આપી લોખંડના પાઇપ વડે હુમલો કરી કનકસિંહના પુત્ર દિવ્યરાજસિંહને પણ ઢીકા પાટુનો માર મારી લાકડી વડે માર મારતા હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

- text

- text