જુના ઘાટીલા ઉમિયા પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : તાજેતરમાં જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશીયલ ગ્રુપનો 21મો સ્નેહમિલન કાર્યક્ર્મ મોરબીના ઉજવલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.

સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જૂના ઘાટીલા ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકાસણિયા, પ્રખર પ્રવક્તા મનસુખભાઈ સુવાગીયા, ગામના નિવૃત સરકારી પદાધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . જૂના ઘાટીલા ગામના મોરબી રહેતા તમામ સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. મનસુખભાઈ સુવાગિયાએ તેમની પ્રખર શૈલીમાં પ્રવચન પણ કર્યું હતું. આ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને નિવૃત અધિકારીઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાસ-ગરબા અને જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text