વાંકાનેર બેઠક ઉપર હાર બાદ કોંગ્રેસના પીરઝાદાએ શું પ્રતિક્રિયા આપી..? વાંચો..

- text


 

પ્રજાનો ચુકાદો શિરોમાન્ય, ભલે હાર થઈ પણ સક્રિય તો રહીશ જ : પિરઝાદા

વાંકાનેર : વાંકાનેર બેઠક ઉપર હાર બાદ કોંગ્રેસના ઉમેદવાર પીરઝાદાએ કહ્યું કે પ્રજાનો ચુકાદો શિરોમાન્ય. ભલે હાર થઈ પણ હું રાજકારણમાં સક્રિય રહી પ્રજાના પ્રશ્ને સતત કાર્યરત રહીશ.

વાંકાનેર બેઠક ઉપર 3 ટર્મથી ધારાસભ્ય રહેલા મહંમદ જાવીદ પીરઝાદાને આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની ગઢ ગણાતી આ બેઠક ઉપર આ વખતે ભાજપ ફીવર છવાયો હોય ભાજપના ઉમેદવાર જીતુભાઈની જીત થઈ છે. ત્યારે આ અંગે મહમદ જાવેદ પીરઝાદાએ જણાવ્યું હતું કે આપના કારણે મતનું વિભાજન થયું હોવાથી હાર થઇ છે.

- text

આ ઉપરાંત તેઓએ કહ્યું કે હું તમામ મતદારોનો આભાર માનું છું. પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે હું કાયમ સક્રિય રહીશ. અમે હવે આવનારા દિવસોમાં પ્રજાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરીશું.

- text