વાંકાનેરમાં ડોક્ટર સૈયદના સાહેબની મિલાદ સાદાઈથી ઉજવાશે

- text


 

વાંકાનેર : દર વર્ષે દાઉદી વ્હોરા સમાજ ડો. સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની મિલાદ (જન્મદિવસ)ની ઉજવણી શાનો-શૌકત અને પારંપરિક રીતે કરે છે. પરંતુ આ વર્ષે તાજેતરમાં જ મોરબી ખાતે બનેલી દુઃખદ ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે વાંકાનેર દાઉદી વ્હોરા સમાજ શોક વ્યક્ત કરે છે અને તેને અનુલક્ષી આ વર્ષે ડો. સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની 79મી મિલાદ નિમિત્તે આતશબાજી, ફટાકડા ફોડવા કે પારંપરિક લુકમાની બેન્ડ બંધ રાખી સાદાઈથી ડો.સૈયદના સાહેબની મિલાદ (જન્મદિવસ) ઉજવવાનો નિર્ણય કરેલ છે. તેમ વાંકાનેર દાઉદી વ્હોરા સમાજ દ્વારા જણાવાયું છે.

- text

- text