વવાણીયા રામબાઈ મંદિરે 26 ઓક્ટોબરે યોજાશે સ્નેહમિલન અને અન્નકૂટ દર્શન

- text


માળીયા (મી.): વવાણીયા ખાતે આવેલા માતૃશ્રી રામબાઈ મા મંદિરે આગામી તારીખ 26 ઓક્ટોબરને બુધવારના રોજ સવારે 9 કલાકે નૂતન વર્ષ સ્નેહમિલન તથા અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે પધારતાં ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. ત્યારે આ કાર્યક્રમમાં પધારવા સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text

અન્નકૂટ પ્રસાદના દાતાઓ તરીકે સ્વ. નાગદાનભાઈ હીરાભાઈ ધ્રાંગા હસ્તે મેણંદભાઈ નાગદાનભાઈ ધ્રાંગા (ભારતનગર), સ્વ. ગોવિંદભાઈ રાણાભાઈ છૈયા હસ્તે કાળુભાઈ ગોવિંદભાઈ છૈયા (ભારતનગર), જેશાભાઈ હીરાભાઈ મૈયડ (પરાપીપળીયા) અને પાંચાભાઈ રવાભાઈ મૈયડ (પરાપીપળીયા) છે.

- text