મોરબીમાં મફતીયાપરાને વિદ્યુતનગરની પાણીની લાઈનમાંથી જોડાણ ન આપવા રજૂઆત

- text


મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મફતીયાપરા વિસ્તારને વિદ્યુતનગરની પાણીની લાઈનમાંથી જોડાણ આપવાની હિલચાલનો પૂર્વ કાઉન્સિલર દ્વારા વિરોધ કરી ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

મોરબીના વોર્ડ નંબર-3 પૂર્વ કાઉન્સિલર હરદેવસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ જાડેજાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, મોરબીના સામાકાંઠા વિસ્તારના મફતીપરા વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તેઓ પાણીની લાઈન વિદ્યુતનગરની લાઈનમાં લેવા હિલચાલ ચાલી રહી છે તે યોગ્ય નથી.

વધુમાં હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મફતીપરા વિસ્તારના લોકો કોઈપણ પ્રકારનો ટેક્સ/વેરો ભરતા નથી તેથી તેઓને વિદ્યુતનગરની પાણીની લાઈનમાંથી નવું જોડાણ ન આપવામાં આવે કેમ કે વિદ્યુતનગરમાં મોટરમાંથી પાણી આવતું હોવાથી પાણી પૂરતું મળી શકે તેમ નથી. આ પાણીનો જથ્થો વિદ્યુતનગર પૂરતો થાય તેમ હોય મફતીપરા વિસ્તારને આ લાઈનમાંથી જોડાણ આપવામાં ન આવે તેવી માંગ અંતમાં કરી છે.

- text

- text