પાટીદાર નવરાત્રી મહોત્સવમાં 1લી ઓક્ટોબરે હિમેશ રેશમિયા ઘુમ મચાવશે

- text


આવતીકાલે તા.30ના રોજ કિર્તી સાગઠિયા અને 2જી ઓક્ટોબરે ખજૂરભાઈ ખલૈયાઓને ગરબે રમાડશે

મોરબી : મોરબીના ખેલૈયાઓમાં આકર્ષણ જમાવનાર પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દરરોજ અવનવા મહેમાનો ખેલૈયાઓનો જોમ જુસ્સો વધારી રહ્યાછે ત્યારે આગામી તા.1લી ઓક્ટોબરના રોજ હિમેશ રેશમિયા મોરબીના મહેમાન બની પાટીદાર નવરાત્રી મહોત્સવની શાનમાં ચાર ચાંદ લગાવશે.

મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દરરોજ નવા મહેમાનો ખેલૈયાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે આગામી તા.1 ઓક્ટોબરના રોજ મોરબીમાં પ્રથમ વખત બૉલીવુડના જાણીતા ગાયક કલાકાર હીમેષ રેશમિયા પોતાના સુરીલા અવાજથી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને ગરબે રામાડનાર હોવાનું આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું.

- text

આ ઉપરાંત આવતીકાલે તા. 30 ને શુક્રવારના રોજ જાણીતા ગાયક કલાકાર કીર્તિ સાગઠિયા અને તા. 2 ને રવિવારના રોજ જાણીતા કોમેડિયન ખજુરભાઈ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં મહેમાન બની લોકોને મનોરંજન પુરૂ પડશે.જયારે આઠમાં નોરતે મહાઆરતી પ્રમોદભાઈ વરમોરા(વરમોરા ગ્રુપ) અને સવજીભાઈ બારૈયા પરિવાર દ્વારા કરવામાં આવનાર હોવાનું અજય લોરિયાએ અંતમાં જણાવ્યું હતું.

- text