મોરબીમાં ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળશે

- text


સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગૃપ દ્વારા આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવને હરખભેર ઉજવવા માટે તાડામાર તૈયારીઓ

મોરબી : ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ નજીક આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગૃપ દ્વારા પોતાના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવને હરખભેર ઉજવવા માટે તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં આગામી તા.3 મેં ના રોજ ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ઉજવણીને લઈને સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામને ઘજકા પતાકા અને રંગબેરંગી રોશનીથી સજાવટ કરવામાં આવશે અને તા.3 મેના રોજ ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શહેરના વાઘપરા શેરી નબર-14માં આવેલ ગાયત્રી મંદિરેથી નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જ્યારે તા.2 મેંના રોજ રાત્રે 9 વાગ્યે પરશુરામ ધામ ખાતે દાંડીયા રાસ તેમજ તા.3 મેંના રોજ સાંજે 7 વાગ્યે મહાઆરતી અને રાત્રે 8 વાગ્યે મહાપ્રસદનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી સમસ્ત બ્રહ્મસમાજને આ કાર્યકમોને લાભ લેવા પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટે અનુરોધ કર્યો છે.

- text