ગૌવંશને રાખવા માટે ફરજિયાત લાયસન્સના કાયદાનો વિરોધ કરતા હળવદના માલધારીઓ

- text


સરકાર આ કાયદો પરત ન ખેંચે તો વિધાનસભાની ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ગર્ભિત ચેતવણી

હળવદ : રાજયની વિધાનસભાના સત્રમાં ગત તા.૩1 માર્ચના રોજ સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામા આવ્યુ છે. આથી હળવદના માલધારી સમાજે કાયદાકીય બિલનો ઉગ્ર વિરોધ કર્યો છે અને સરકારને સંબોધી હળવદના મામલતદાર આવેદનપત્ર આપી સરકાર આ કાયદો પરત ન ખેંચે તો વિધાનસભાની ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ગર્ભિત ચેતવણી આપી છે.

ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિના નેજા હેઠળ હળવદ પંથકના માલધારીઓએ મામલતદારને આવેદન આપી જણાવ્યું હતું કે, સામાજિક સમરસતા માટે પશુપાલક વર્ગ ખુબ જ મહત્વની ભાગ ભજવી રહ્યો છે. કોરોનાના કપરાકાળ દરમિયાન ખુબ સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજની અતિ મહત્વની પ્રાથમિક જરુરિયાત એવા દૂધ પાડવા માટે પોતાની જાતની પરવા કર્યા વગર ભાવ વધારો કર્યા વગર રાતદિન એક કરીને સમાજને દૂધ પહોંચાડયું છે. ગુજરાત શ્વેત ફાંતિમાં જે કાંઈ હરણફાળ ભરી રહ્યું છે તેનો પાયાનો પથ્થર આ પશુપાલક અને માલધારી સમાજ જ છે સરકારશી એ ભૂલવું ના જોઈએ.

વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમા વિધાનસભામાં સરકાર દ્વારા પશુ-માલધારી વિરોધી જે બિલ પસાર થયેલ છે તે તાત્કાલીક પરત ખેંચવું, રાજ્યની દરેક કોર્પોરેશન દ્વારા પકડાયેલ ઢોરોને મુકત કરવા ડબ્બાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવો, રાજ્યમા આવા પકડાયેલ પશુઓને છોડાવવા માટે ૯૦-અ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ કરવી, અગાઉની માફક શહેરની બહાર માલધરી વસાહતો બનાવી તેમાં ગાયો રાખવાના વાડાઓ તેમજ પશુદાવાખના ખાણદાણની દુકાન, દૂધમંડળી તેમજ માલધારીઓના બાળકો માટેની સ્કુલો, દાવાખાનાઓ, જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરી છે.

- text

તેમજ જે શહેરમાં દબાણ થયેલ ગૌચરો નામદાર કોર્ટના હુકમ મુજબ ખાલી કરાવી તેમાં આવી વસાહતો બનાવી માલધારી શહેર બહાર વસવાટ કરે તેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ તૈયાર કરાવી, માલધારી સમાજ ખુબ જ ભોળો સમાજ છે અમારે ભૌતિક સુખ સુવિધાઓ નથી જોઈતી પણ પશુપાલક વિરોધી કાયદો લાવી પશુપાલકોને પરેશાન આ નીતિને અમો સહન કરવાના નથી. જો આગમી દિવસોમાં માલધારી સમાજને આ બિલ અથવા બીજા કોઈપણ કાયદા દ્વારા પશુપાલન વ્યવસાયમાં મુશ્કેલી કે અગવડતાઓ ઉભી થશે તો તેનું સરકારે પણ કદાચ અગામી વિધાનસલા ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે.તેથી આ બિલ પરત ખેંચવાની માંગ કરી છે.

- text