મોરબીમાં હરીચરણદાસ મહારાજને પુષ્પાંજલિ અર્પવા સુંદરકાંડના પાઠ યોજાશે

- text


મોરબી : ગોંડલના હરીચરણદાસ મહારાજને પુષ્પાંજલિ અર્પવા મોરબીમાં ગુરુભાઈઓ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.સુંદરકાંડનું રસપાન કરવા તેમજ ગુરુને પુષ્પાંજલિ અર્પણ કરવા ધર્મપ્રેમીઓને આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text

ગોંડલ સ્થિત રામજી મંદિરનાં સદ્ગુરુદેવ મહામંડલેશ્વર 1008 હરીચરણદાસ મહારાજનું ગત તા.28ને સોમવારના રોજ અવસાન થયેલ હતું.તેમની શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ રૂપે મોરબીના ગુરુભાઈઓ દ્વારા આગામી તા.5ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.સુંદરકાંડનું રસપાન કરવા તેમજ ગુરુને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવા શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text