ધો-8ના વિદ્યાર્થીઓ માટે 17મીએ સ્કોલરશીપ પરીક્ષા લેવાશે

- text


પરીક્ષા માટેની હોલ ટીકીટ તા.5મીથી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી લેવી

મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય,ગાંધીનગર દ્વારા ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે “નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-2021″ આગામી તા.17ને રવિવારના રોજ લેવામાં આવશે.પરીક્ષા માટેની હોલ ટીકીટ તા.5થી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

- text

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ” નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા ” રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા તા.17ને રવિવારના રોજ 11 થી 2 વાગ્યા સુધી યોજવામાં આવશે.પરીક્ષા માટેની હોલ ટીકીટ http://www.sebexam.org વેબસાઇટ પરથી તા.5ના રોજ બપોરના 3 કલાકથી પરીક્ષા શરૂ થવાના સમય સુધી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ તથા કન્ફર્મેશન નંબર અને આધાર ડાયસ નંબર નાખી ડાઉનલોડ કરવાની રહેશે.

- text