મોરબીમા ચેટીચાંદ તથા ઝુલેલાલ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

- text


શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : આજે સિંધી સમાજનું નૂતનવર્ષ ચેટીચંદ તથા ઝુલેલાલ જયંતી છે. જેના ઊપલક્ષમાં મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ચેટીચંદ તથા ઝુલેલાલ જયંતીની અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ઉજવણી ન થઈ શકવાથી આ વખતે સિંધી સમાજમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા, પ્રસાદ વિતરણ, સત્સંગ કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

આ અંગે સિંધી સમાજના યુવા આગેવાન નવીન માખીજાએ જણાવ્યું હતું કે, આજે મોરબીમાં ચેટીચાંદ નિમિત્તે સિંધુભવન સ્ટેશન રોડ ખાતે જુલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજારોહણ, આરતી, મહાપ્રસાદ, શોભાયાત્રા સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા.આ તકે સર્વે સિંધી સમાજના ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે રાજ્ય મંત્રી બ્રીજેશ મેરજાએ જણાવ્યું હતું કે આજથી સિંધી ભાઈઓનું નવું વર્ષ શરૂ થયું છે અને તેમનો પવિત્ર તહેવાર ચેટીચાંદ પણ છે તો આ તકે હું સર્વે સિંધી ભાઈઓને આ તહેવારની શુભકામના પાઠવું છું. અને ગર્વ અનુભવું છું કે હું ઝુલેલાલજીના પવિત્ર મંદિરની જગ્યાએ ઉભા રહી દર્શન કરી શક્યો છું.આ સાથે આજે હિંદુ ભાઈઓ માટે ચૈત્રી નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે તો તે અંગેની પણ સર્વ હિંદુ ભાઈઓને શુભકામના પાઠવું છું ભારતના વિકાસમાં સિંધી સમાજનું અનેરું યોગદાન રહ્યું છે અને આમને આમ ભગવાન ઝૂલેલાલ તેમને શક્તિ આપે અને સિંધી સમાજનો વિકાસ થાય તેવી શુભકામના અંતે પાઠવી હતી.

- text

- text