મોરબીમાં ગુરુવારે જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ ઉજવાશે

- text


પ્રભાતધૂન,વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ,મહાઆરતી,મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીના જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ આગામી ગુરુવારના રોજ ઉજવવામાં આવશે.જેમાં પંચવિધ કાર્યક્રમોનું આયોજન કરવાં આવ્યું છે.આગામી વર્ષે પણ દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવારે મહાપ્રસાદ યોજાશે.પ્રસાદમાં સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનોએ જલારામ પ્રાર્થના મંદિર-મોરબીનો સંપર્ક કરવાનો રહેશે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ આગામી તા.૩-૩-૨૦૨૨ને ગુરુવારના રોજ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવશે.જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન,સવારે ૮ કલાકે વૈદિક મહાયજ્ઞ,સવારે ૧૦ કલાકે કાર્યકર્તાઓ તેમજ દાતાઓનો સન્માન સમારોહ,સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી,સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે.શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

- text

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા,શબવાહીની સેવા,વૈકુંઠ રથ સેવા,અંતિમ યાત્રા બસ,ફ્રિઝ શબ પેટી,દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા,બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર,સામૂહીક અસ્થિ વિસર્જન,મેડીકલ સાધનોની સેવા,મેડીકલ કેમ્પ,બ્લડ ડોનેશન,પદયાત્રીઓની સેવા,દર મહીને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ વિનામુલ્યે કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વિના સમાજને અવિરતપણે પ્રદાન કરવામાં આવી રહી છે.કોરોનાની મહામારીના સમયમાં મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખથી વધુ ફુડ પેકેટ વિતરણ,એમ્બ્યુલન્સ સેવા,ઓક્સિજન બોટલ,નેબ્યુલાઈઝર,ઓક્સિ મીટર સહીતની સેવાઓ અવિરતપણે પ્રદાન કરવામાં આવી હતી.ત્યારે આગામી વર્ષે પણ દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવારે મહાપ્રસાદ રાબેતા મુજબ યોજાશે. પ્રસાદમાં સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનોએ જલારામ પ્રાર્થના મંદિર-મોરબીનો સંપર્ક કરવો. તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

- text