મોરબીમાં 19 અને 20મીએ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ

- text


ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા આયોજન

મોરબી : મોરબીના ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા આગામી તા. 19 અને 20મીએ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

મોરબી શહેરમાં આવેલ વીસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત મહેતા કુટુંબ પરિવાર આયોજીત ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી-3 (નવાડેલા રોડ, મોરબી)ના અજશમર એક્ટિવ એસોર્ટ (AAA) સિનિયર ગ્રુપ પ્રેરિત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડૉ. વિક્રમભાઇ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને આગામી તા. 19ને શનિવાર સાંજે 4થી 7 વાગ્યા સુધી અને તા. 20ને રવિવારે સવારે 9થી 12 વાગ્યા દરમ્યાન વિનામુલ્યે તપાસીને માર્ગદર્શન આપશે.

- text

આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેડીકલ ઓફીસર ડૉ. હિરેન ચૌહાણ પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ માટે આવે ત્યારે પોતાના કેસ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવેલ છે.

- text