પર્યાવરણ પરિવાર દ્વારા શ્રીગૌશાળા પ્રાથમિક શાળા ખાતે ચકલીઘરનું વિતરણ

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ શ્રીગૌશાળા પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે ગત આજરોજ શ્રીગૌશાળા પ્રાથમિક શાળા ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ વિતરણમાં શાળાના પ્રિન્સિપાલ જલ્પેશ વાઘેલા, સંજય બાપોદરિયા (સંગી), તેમજ શાળાના શિક્ષકગણ અને પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠા,પરમાર રૂપેશ (કવિજલરૂપ) , વિવેક ભાલારા,ડો. રજનીકાંત રાઠોડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text