મોરબીમાં માહેશ્વરી આંખની હોસ્પિટલ દ્વારા રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં માહેશ્વરી આંખની હોસ્પિટલ દ્વારા રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

મોરબીમાં માહેશ્વરી આંખની હોસ્પિટલના ડો. ચિંતન એમ. માહેશ્વરી દ્વારા હોસ્પિટલના પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આગામી તારીખ 26ને રવિવારે સવારે 9 થી 12-30 વાગ્યા સુધી માહેશ્વરી આંખની હોસ્પીટલ, સાવસર પ્લોટ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. કેમ્પમાં આંખની તપાસ, ટીપા વિતરણ, મોતીયાની તપાસ, પડદા, ઝામર, નાસુર, વેલનું નિદાન, ચશ્માના નંબરની તપાસ કરી આપવામાં આવશે.

કેમ્પમાં રજીસ્ટ્રેશન ચાર્જ રૂ. 50 છે. અને રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે મો. નંબર 73592 22490 પર સંપર્ક કરવાનો રહેશે. કેમ્પ અંતર્ગત પ્રથમ 11 મોતીયાના ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text