મોરબી – નવલખી રોડ ઉપર ટ્રેકટર હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

- text


મોરબી : મોરબી નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાનજી મંદિર નજીક ટ્રેકટર ચાલકે હડફેટે લેતા મોરબીથી નવલખી તરફ જતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ ગામે નવા પ્લોટ ગીતા નગર સોસયટી રહેતા રમેશભાઇ મેધજીભાઇ સોરીયા ઉ.૩૫ પોતાના ઘેરથી નવલખી તરફ જતા હતા ત્યારે ટ્રેકટર નં. જીજે,૦૯.એચ.૭૦૩૯ના ચાલકે તેમના મોટર સાયકલને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચવાથી રમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતના આ બનાવમાં અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગે મૃતક રમેશભાઈના મોટાભાઈ પ્રભુભાઇ મેઘજીભાઇ સોરીયાએ ટ્રેકટર નં. જીજે,૦૯.એચ.૭૦૩૯ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેકટર ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૦૪(અ)તથા એમવી.એક્ટ કોમ ૧૮૪,૧૭૭,૧૩૪ મુજબ ગુન્હો દાખલ કરી ટ્રેકટર ચાલકને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text