મોરબી જલારામબાપા ટ્રસ્ટ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કપડા – નાસ્તાનું વિતરણ

- text


મોરબી : મોરબીના જલારામબાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈકાલ જલારામ જયંતિ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કપડા તથા બુંદી ગાંઠિયાનું વિતરણ કરાયું હતું.

જલારામબાપા ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી ના પ્રમુખ કંચનબેન ડી.ભટ્ટી, દીપકભાઈ ભટ્ટી, મનીષભાઈ ભટ્ટી તથા સંચાલક વિશાલભાઈ એમ. મકાણીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષથી મોરબીની તમામ હોસ્પિટલમાં બપોરે તથા સાંજે ફ્રી ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે.આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો ને પણ ફ્રી ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. સેવાકીય પ્રવૃત્તિ કરતા ટ્રસ્ટ દ્વારા ગઈકાલ જલારામ જયંતિ નિમિત્તે બેઠા પુલ,મયુર બ્રિજ, ઉમિયા સર્કલ બાયપાસ પાસે ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને કપડાં તથા બુંદી ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિ અંગે વધુ માહિતી માટે મોબાઇલ નંબર 8200915140 82 પર સંપર્ક કરવો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text