માળીયામાં નાર્કોટિક્સ ગુન્હામાં એક આરોપીનો જામીન ઉપર છુટકારો

- text


મોરબી : માળીયામાં ગત તા.24 ઓક્ટોબરના રોજ પોલીસે આરોપીઓ વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઈ બારોટ, દશરથ દિનેશભાઇ વ્યાસ અને શંકર ગોવાભાઈ ગરચરને 880 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આ ત્રણ આરોપીઓમાંથી એક આરોપી વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઈ બારોટે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા ડ્રિસ્ટ્રિક કોર્ટમાં જામીન અરજી કરી હતી અને આરોપી પક્ષના વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલ ઓઝા) કોર્ટમાં ધારદાર દલીલો કરતા કોર્ટે આરોપી વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઈ બારોટને રૂ.10 હજારના રેગ્યુલર જામીન ઉપર મુક્ત કર્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text