લક્ષ્મીનગર પાસે માતાના મઢે ચાલીને જતા પદયાત્રીનું ક્રેઇનની ઠોકરે મોત

- text


મોરબી-માળીયા હાઇવે પર પદયાત્રીકોને અકસ્માત નડ્યો

મોરબી : મોરબી – માળીયા હાઇવે પર લક્ષ્મીનગર ગામ પાસે પદયાત્રીકોને અકસ્માત નડ્યો હતો. જેમાં ક્રેઇનની હડફેટે એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી અરેરાટી મચી ગઇ હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા અને રાઈટર નરેશભાઈ રીબડીયા પાસેથી અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર કેનાલ રોડ પાસે આવેલ બોરીયાપાટી વિસ્તારમાં રહેતા અવચરભાઈ બેચરભાઈ પરમાર (ઉ.વ.55) નામના પ્રૌઢ આજે સવારે તેમના અન્ય કુટુંબીજન સાથે આગામી નવરાત્રી નિમિતે કચ્છ માતાના મઢે ચાલીને દર્શન કરવા નીકળ્યા હતા અને આજે બપોરના સમયે તેઓ મોરબી માળીયા હાઇવે પર લક્ષ્મીનગર ગામ પાસે પહોંચ્યા ત્યારે પુરપાટ ઝડપે આવતા ક્રેઇનના ચાલકે હડફેટે લેતા અવચરભાઈ પરમારને ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવથી પદયાત્રિકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text