- text
અછતનો સમય હોય વધુ જરૂરિયાતમંદને લાભ મળી શકે તે માટે સહયોગ આપવા અનુરોધ
વાંકાનેર : વાંકાનેરમાં કોરોના દર્દીઓ માટે અતિ આવશ્યક ઓક્સિજન સેવાભાવિઓ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ ઓક્સિજન સિલિન્ડર અને કીટ વપરાશ બાદ તાકીદે પરત કરવા અપીલ કરવામાં આવી છે.
- text
વાંકાનેરમાં સેવાભાવીઓ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર અને કીટ નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે. ત્યારે હાલનાં સમય મુજબ ચારે બાજુથી ઓક્સિજનની માંગ ઉઠી રહી છે. ત્યારે સિલિન્ડર અને કીટની પણ જરૂરિયાત રહે છે. રીફીલિંગ માટે સિલિન્ડરની તાકીદે જરૂરિયાત રહેતી હોય ઓક્સિજન લઈ જનારે વપરાશ થઈ ગયા બાદ તાકીદે સિલિન્ડર અને કીટ જેતે સ્થળેથી મેળવ્યા હોય ત્યાં સમય બગડયા વગર પરત કરવામાં આવે. જેથી, અન્ય જરૂરિયાતમંદ લોકોને પણ તાકીદે ઓક્સિજન પૂરો પાડી શકાય.તેવી ખાસ અપીલ કરવામાં આવી છે.
- text