મોરબીમાં કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારો માટે ઉદ્યોગપતિ પંકજ રાણસરિયા ભોજનની વ્યવસ્થા કરશે

- text


મોરબી : મોરબીમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ઉદ્યોગપતિઓ દર્દીઓની વ્હારે આવીને ઉદાર દિલે સહાય આપી રહ્યા છે. આજે વધુ એક ઉદ્યોગપતિએ સહાયની જાહેરાત કરી છે. જેમાં પંકજભાઈ રાણસરિયા નામના ઉદ્યોગપતિએ દર્દીઓ તેમજ તેમના પરિવારો માટે ભોજન વ્યવસ્થા ગોઠવવાનો સેવાયજ્ઞ શરૂ કરવાનું જાહેર કર્યું છે.

- text

મોરબી શહેરમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ પરિવારને પંકજભાઈ રાણસરીયાની ટીમ ભોજનની વ્યવસ્થા કરી આપશે તેવું તેમણે કહ્યું છે અને વધુમાં તેમણે કહ્યું છે કે, મોરબી જિલ્લામાં હાલ કોરોના પરિસ્થિતિ ખુબ જ વિકટ બની છે. ત્યારે મોરબીના તથા બહારથી આવેલ દર્દીઓ મોરબીની કોઈપણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેવા જરૂરિયાતમંદ પરિવાર માટે ભોજનની વ્યવસ્થા મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરીયા દ્વારા કરવામાં આવશે અને આ સેવાનો લાભ લેવા માટે મોબાઈલ નંબર ૯૯૨૪૪ ૧૧૧૧૧ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

- text