- text
હઝરત સૈયદા બીબી જેનબ રદીયલ્લાહુ આલા અન્હાને ખીરાજે અકીદત પેશ કરવા તા. 26ને શુક્રવારના રોજ બાદ નમાઝે ઇશા દાવલશાહ ચોક, મું.આમરણશરીફ, તા.જી.મોરબી ખાતે પ્રોગ્રામ યોજાશે
મોરબી : આમરણશરીફમાં આગામી તા. 26ને શુક્રવારના રોજ હઝરત સૈયદા બીબી જૈનબ રદીયલ્લાહુ આલા અન્હાના વિસાલના મૌકા પર ખીરાજે અકીદત પેશ કરવા માટે દાવલશાહચોક ખાતે એક અઝીમુશાન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઔલાદે ગૌષે આઝમ, આલે રસુલ ખતીબે ઝીશાન હઝરત મૌલાના સૈયદ અમીનુલ કાદરી સાહેબ-ઝેર નિગરાં સુન્ની દાવતે ઇસ્લામી માલેગાંવ તકરીર ફરમાવશે.
- text
વધુમાં, મોરબી શહેરના શેહઝાદા એ મદની સરકાર પીરતરીકત મુફતી સૈયદ સિદીકબાવા જીલાનીમીયા અને જામીયા ફૈઝાને દાવલશાહ સરકારનાં નાઝીમે આલા મોલાના અલ્તાફહુશેન તથા આમરણ સુન્ની મુસ્લીમ એન્ડ સાદાત જમાત હાજરી આપશે. આ પ્રોગ્રામમાં ફૈઝાને શાહ અબ્દુલ લતીફ ગ્રુપ જહેમત ઉઠાવી રહયું છે.
- text