મોરબીના ઈન્ડીયન લાયન્સ ક્લબના ચેરપર્સનની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીના ઈન્ડીયન લાયન્સ ક્લબના ચેરપર્સન આશાબેન પંડ્યાના જન્મદિવસને ‘જીવદયા દિવસ’ તરીકે ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન લીયો ક્લબ દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે રખાયેલા શ્વાન કે જે શારીરિક રીતે અક્ષમ અને રોગિષ્ટ હોય ઉપરાંત આ પ્રકારના સસલા અને વિવિધ પ્રકારના પક્ષીઓને રાખીને તેની સારવાર કરવામાં આવે છે, તેઓના એક દિવસના સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા સારવાર ખર્ચ પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ અવસરે ઈન્ડિયન લીયો ક્લબના પ્રમુખ વિસ્મય ત્રિવેદી સેક્રેટરી જય હિરાણી પ્રોજેકટ ચેરમેન એંજલબા ઝાલા, ઉપપ્રમુખ વેદાંત ત્રિવેદી તથા તીર્થ ત્રિવેદી, અમન સંધી, વૈભવ મકવાણા, ઝહિર ઢેબર, ડેનીશ હિરાણી, મનીષ સેનવા, યોગેશ કંઝારીયા તથા હિરેન પરમાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text