- text
અમદાવાદ જવા માંગતા વાહનધારકો વાયા રાધનપુર માર્ગ પસંદ કરી શકશે
માળીયા (મી.) : માળીયા (મી.)માં સુરજબારી બ્રિજ ઉપર જુના રોડનું સમારકામ આજથી ચાલુ થયેલ છે. આથી, 6 લેનનું રોજીદુ ટ્રાફિક 2 લેનના વન-વે બ્રિજ પર ડાયવર્ટ કરેલ હોવાથી હેવી ટ્રાફિકજામ થવાની સમસ્યા આગામી 7 દિવસો સુધી રહેવાનું સંભવ છે. તો અમદાવાદ જવા માંગતા વાહનધારકો વાયા રાધનપુર માર્ગ પસંદ કરી શકે છે. અથવા સમયસર ગંતવ્ય સ્થાને પહોંચવા માંગતા લોકો વ્હેલાસર ઘરેથી નીકળે તેવી સૂચના સ્નેહીઓને અને સંબધીતોને આપવા જિલ્લા ટ્રાફિક શાખા અને સામખીયાલી પોલીસ (પૂર્વ કચ્છ ગાંધીધામ) દ્વારા યાદીમાં જણાવાયું છે.
- text
- text