ટંકારા : રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા 6 ડિસેમ્બરે નેત્રરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

- text


ટંકારા : ટંકારાના રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા તા. 6 ડિસેમ્બરના રોજ સવારે નવથી બાર વાઞ્યા દરમિયાન કષ્ટભંજન હનુમાન મંદિર, રાજકોટ-મોરબી રોડની બાજુમા આંખના દર્દીઓ માટે વિનામુલ્યે સારવાર અને નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાની તા. 6ના રોજ સવારે 9થી બપોરના 12 વાઞ્યા સુધી રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખના દર્દીઓ માટે નેત્ર નિદાન અને નેત્રમણિ બેસાડવાના નેત્રયજ્ઞ કેમ્પનુ વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે. આ માટે દરેક આંખ પિડીતોને લાભ લેવા આયોજકો એ અનુરોધ કયોઁ છે. તદઉપરાંત, કોરોના વાઈરસને પગલે આ કેમ્પ બંધ હતો. તે ફરી આગામી 6 તારીખથી રાબેતા મુજબ કોવિનની ગાઇડલાઇન મુજબ ચાલુ કરવામાં આવ્યો છે.

- text

- text