‘આ શેરીમાંથી બહારના મણસોએ ચાલવું નહીં’ તેમ કહી આધેડ ઉપર હુમલો

- text


ચાર શખ્સોએ હુમલો કર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના માધાપર વિસ્તારની શેરીમાંથી બહારના મણસોએ ચાલવુ નહી તેમ કહી ચાર શખ્સોએ આધેડ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં આધેડે ચાર શખ્સો સામે હુમલો કર્યાની એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મારામારીના બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ નેપાળના વતની અને હાલ મોરબીના મુનનગર ચોક લાતીપ્લોટ પાસેની ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં આવેલ આરધના એપાટર્મેંન્ટમાં રહેતા હરીશચંદ્રભાઇ દિર્ઘભાઇ બીષ્ટ બહાદુર (ઉ.વ. ૫૧) એ આરોપીઓ કાંતીભાઇ ઉર્ફે મીથુનભાઇ ડાભી, અજયભાઇ કાંતીભાઇ ઉર્ફે મીથુનભાઇ, વ્રજલાલભાઇ ગોહીલ, મહેભાઇ વ્રજલાલભાઇ ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૩ નવેમ્બરના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરશામા ફરીયાદી મુનનગરમા જવા માટે ચાલીને માધાપર શેરી નં.-૧૯ માથી નીકળતા હતા.

- text

ત્યારે આરોપીઓએ ફરીયાદીને અહી શેરીમાથી બહારના મણસોએ ચાલવુ નહી તેમ કહી ગાળો આપી ફરિયાદીને લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વતી બન્ને હાથ તથા બન્ને પગમા મારી બન્ને પગમા તથા બન્ને પગમા ફેક્ચર જેવી ઇજા કરી તેમજ ઢીકાપાટુ નો મુંઢ માર મારી શરીરે મુંઢ ઇજા કરી હતી. જેમાં ઈજાગ્રસ્ત આધેડે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી.

- text